એ જ બીબાઢાળ જીવન…આપણી આસપાસ એજ જાણીતાં ચહેરા અને એજ એકધારી જીંદગી.  Life નો એક તબક્કો હોય છે જ્યારે આપણને આ routine થઈ ગયેલી life સામે બહુ ફરિયાદો હોય છે.  બીજાનું જોઈને હંમેશા એમ થતું હોય છે કે આ મારી પાસે કેમ નથી.  મારી લાઈફ કેમ આટલી eventful નથી?  પણ જેમ જેમ સમય જતો જાય છે તેમ જીંદગી સામેનો આ વિરોધ પણ શમતો જાય છે અને ફરિયાદો પણ ઓછી થતી જાય છે.  પણ ઘણીવાર એમ વિચાર આવે કે ખરેખર yeh dil chahta hai kya?  Do we really want change in life?

કયારેક કોઈ ઘટનાથી, કોઈ વ્યક્તિના જવાથી જે ખળભળાટ સર્જાય અચાનક ત્યારે પાછું મન એ જ રૂટીનીયત ઝંખે છે કે કાશ…life પહેલાં જેવી થઈ જાય તો.  ભલે ખબર હોય કે કશું શાશ્વત નથી, છતાંય મન એ change ને ખબર નહીં કેમ જલ્દી સ્વીકારતું નથી.  એ જ ઘટનાની, કે એજ વ્યક્તિની અને એજ લાઈફની એટલી આદત પડી જાય છે કે મન સ્વયં એ પાશમાંથી છૂટવા નથી માંગતું. 

routine થી detach થઈને ખરેખર જીવી શકાય?

જીના-માનસી